કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.