લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ બંને પાટીદાર નેતાઓ હવે ભાજપમાં જોડાય તેવી અટકળો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં AAPમાં જોડાયા પછી અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. જોકે આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.